અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ચક્કાજામ, 12 કી.મી.સુધી વાહનોની કતાર

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ

  • સતત બીજા દિવસે ટ્રાફિકજામના દ્રશ્યો

  • માર્ગના સમારકામની કામગીરીના પગલે ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા

  • આવતીકાલથી સ્થિત સામાન્ય થાય એવી શક્યતા

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે સતત બીજા દિવસે ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. છેલ્લા બે દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગતરોજ અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે.જયારે સતત બીજા દિવસે એટલે કે આજે મંગળવારે મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા.૧૦થી ૧૨ કિલો મીટર સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.બે દિવસથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે.
જેને કારણે સમય સાથે ઇંધણનો પણ બગાડ થઇ રહ્યો છે.અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા જ ટ્રાફિક નિયમન કરવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી સમારકામની કામગીરી નહિ પૂર્ણ થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.