અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ચક્કાજામ, 12 કી.મી.સુધી વાહનોની કતાર

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ

  • સતત બીજા દિવસે ટ્રાફિકજામના દ્રશ્યો

  • માર્ગના સમારકામની કામગીરીના પગલે ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા

  • આવતીકાલથી સ્થિત સામાન્ય થાય એવી શક્યતા

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે સતત બીજા દિવસે ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. છેલ્લા બે દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગતરોજ અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે.જયારે સતત બીજા દિવસે એટલે કે આજે મંગળવારે મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા.૧૦થી ૧૨ કિલો મીટર સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.બે દિવસથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે.
જેને કારણે સમય સાથે ઇંધણનો પણ બગાડ થઇ રહ્યો છે.અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા જ ટ્રાફિક નિયમન કરવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી સમારકામની કામગીરી નહિ પૂર્ણ થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.