અંકલેશ્વર: NH 48 પર વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હાથ ધરવામાં આવી છે..