New Update
-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
-
ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ
-
3 કી.મી.સુધી ટ્રાફિકજામ
-
અનેક વાહનચાલકો અટવાયા
-
આમલાખાડીનો બ્રિજ જર્જરીત બનતા ટ્રાફિકજામ
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે.ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર ૨થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.
Latest Stories