અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડીનો બ્રિજ જર્જરીત બનતા ટ્રાફિકજામ

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે.ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર ૨થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રૂ.5 લાખનો ગેસનો જથ્થો સગેવગે કરનાર ટેન્કર ચાલકની કરી ધરપકડ, એક વર્ષથી હતો ફરાર

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  BPCL રીફાઇનરી કોચીન (કેરળ) ખાતેથી ટેન્કરમાં પ્રોપલીન ગેસ ભરી,દહેજ નજીક દીપક ફર્ટીલાઇઝર કંપનીમાં ખાલી કરવા

New Update
ser bha
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  BPCL રીફાઇનરી કોચીન (કેરળ) ખાતેથી ટેન્કરમાં પ્રોપલીન ગેસ ભરી,દહેજ નજીક દીપક ફર્ટીલાઇઝર કંપનીમાં ખાલી કરવા જતા પહેલા રસ્તામાં કોઇક જગ્યાએ સાડા પાંચ લાખથી વધુનો ગેસનો જથ્થો સગેવગે કરનાર ડ્રાઇવર આરોપી મોહમંદ સકીલ ગુલ હસન છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને હાલ તે સુરતના હજીરા ખાતે જોવામાં આવ્યો છે.આ આરોપીનું  વાગરા કોર્ટ દ્વારા ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેથી એલ.સી.બી.ટીમે સુરતના હજીરામાં આવેલ L&T કંપનીમાંથી આરોપી મહંમદ સકિલની ધરપકડ કરી તેને દહેજ મરીન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.