અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 2થી 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડી પરનો બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિકજામ

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક આવેલ  આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર વાહનોની ૨ થી 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.