અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા સફાઈકર્મીઓ માટે યોજાયો તાલીમ વર્ગ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો 

New Update

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો 

Advertisment
અંકલેશ્વરના મન શારદા ભવન હૉલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા અને ઑ.એન.જી.સી દ્વારા સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર અને મજૂરો માટે તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં કર્મચારીઓને સ્વચ્છતા અંગે તાલીમ આપવામાં આવી હતી.સાથે આમંત્રિત મહેમાનોના હસ્તે સેફ્ટી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને મુખ્ય અધિકારી કેશવ કોલડિયા  તેમજ ઑ.એન.જી.સીના અધિકારીઓએ સહિત આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

New Update
bharuch Cyclone Meeting
અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
Advertisment
આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુલી જોડાયા હતા.
Advertisment