અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપાણના કાર્યક્રમો યોજાયા, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • પર્યાવરણના જતનના સંકલ્પ લેવાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડીલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.