અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપાણના કાર્યક્રમો યોજાયા, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • પર્યાવરણના જતનના સંકલ્પ લેવાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડીલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા.
Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.