અંકલેશ્વર : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ

New Update

GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક કાર્યક્રમ યોજાયો

છત્રપતિ શિવાજી મહારાજની 15 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ

મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ

કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલના હસ્તે પ્રતિમાનું અનાવરણ

મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકોની ઉપસ્થિતી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ફૂટ ઉંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાનાનાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમદરમ્યાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,મહારાષ્ટ્રિયન સેવા મંડળનાઆગેવાનો અનેહોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે