અંકલેશ્વર : ત્રણ રસ્તા નજીક શાકભાજીના દબાણો હટાવવામાં આવતા મહિલા વેપારીઓનો પાલિકામાં ઉગ્ર રજૂઆત

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી

New Update
  • ત્રણ રસ્તા સર્કલ પાસે શાકમાર્કેટમાં દબાણનો મામલો 

  • નગરપાલિકા દ્વારા વેપારીઓ પર બોલાવી તવાઈ

  • જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા

  • શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરીથી નારાજગી

  • મહિલા વેપારીઓએ પાલિકામાં કરી ઉગ્ર રજુઆત  

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાને અડચણરૂપ શાકભાજીના વેપારીઓના દબાણો હટાવવામાં આવ્યા હતા,જેના કારણે મહિલા વેપારીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરના હાર્દ સમાન ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટે જમાવટ કરી છે.જ્યારે ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે છે,જોકે આ દબાણો થોડા સમયમાં જ પુનઃ સ્થાપિત પણ થઇ જાય છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું,અને ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તા નજીક શાકભાજી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.અને પાલિકાતંત્ર દ્વારા શાકભાજીના વેપાર માટે  યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે.કારણે કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોક મોઢે ચર્ચાઇ રહ્યું છે.  

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.