અંકલેશ્વર: DGVCLનો વીજ પોલ તૂટી જતા કામદારને ઇજા,ટ્રેકટરમાં કરવામાં આવી રહ્યું હતું વહન

અંકલેશ્વર જીઆઇડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થાંભલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચે હતી.

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીની ઘટના

  • DGVCLની કામગીરી દરમ્યાન દુર્ઘટના

  • વીજ પોલ તુટી પડતા સર્જાયો અકસ્માત

  • કામદારોને કમરના ભાગે ગંભીર ઇજા

  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થાંભલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચે હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે ટ્રેક્ટરમાં વીજ કંપનીના થાંભલાઓનું વહન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન ટ્રેક્ટરમાં રહેલો થાંભલો અચાનક જ તૂટી જતા કામગીરીમાં જોડાયેલા કર્મચારી પર પડ્યો હતો જેમાં કર્મચારીને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જીઇબીની કામગીરી દરમિયાન વારંવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે કામદારોની સાવચેતી માટે પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment