New Update
-
અંકલેશ્વર જીઆઇડીસીની ઘટના
-
DGVCLની કામગીરી દરમ્યાન દુર્ઘટના
-
વીજ પોલ તુટી પડતા સર્જાયો અકસ્માત
-
કામદારોને કમરના ભાગે ગંભીર ઇજા
-
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો
અંકલેશ્વર જીઆઇડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થાંભલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચે હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે ટ્રેક્ટરમાં વીજ કંપનીના થાંભલાઓનું વહન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન ટ્રેક્ટરમાં રહેલો થાંભલો અચાનક જ તૂટી જતા કામગીરીમાં જોડાયેલા કર્મચારી પર પડ્યો હતો જેમાં કર્મચારીને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જીઇબીની કામગીરી દરમિયાન વારંવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે કામદારોની સાવચેતી માટે પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Latest Stories