અંકલેશ્વર: ગુણવત્તા યાત્રા અંતર્ગત વર્કશોપનું કરાયુ આયોજન,MSME ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ધોરણે તૈયાર કરવાનો સંકલ્પ

યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

New Update
MSME Workshop
ગુજરાતમાં એમએસએમઈ માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝિસ ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેમને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય લઈને ‘ગુણવત્તા યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી  હતી.ગુણવત્તા યાત્રા અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
MSME Workshop
આ પ્રસંગે કમલેશ પટેલ, ઈશ્વરભાઈ,  હરેશભાઈ વગેરે અગ્રણીઓ તેમજ  ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એચ.જે. જાડેજા
ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ગુણવત્તા યાત્રા આગામી ૫૫ દિવસ સુધી ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, ગાંધીનગર સહિત અન્ય ૦૯ જિલ્લાઓમાં યોજાશે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.