અંકલેશ્વર: J.B.મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં આવેલું છે કેન્સર સેન્ટર

  • જે.બી.મોદી કેન્સર સેન્ટર છે કાર્યરત

  • કેન્સર સેન્ટરમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી

  • સાંસદ મનસુખ વસાવાએ રહ્યા ઉપસ્થિત

  • કેન્સર યોદ્ધાઓનું કરાયુ સન્માન

અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ દ્વારા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી "સાથ ભી, ખાસ ભીના સૂત્ર સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ  મનસુખ વાસાવા , અંકલેશ્ર્વર રોટરી ક્લબના પ્રમુખ સુનીલ નેવે,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ હિમ્મત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવો દ્વારા કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કિટો વિતરણ કરવામાં આવી હતી. જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનવામાં મદદ કરશે.આ કીટમાં સરગવાના પાનનો પાઉડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ, મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓને પર્યાવરણના જતન માટે વ્રુક્ષો પણ આપવામા આવ્યા.આ કાર્યકમમાં હૉસ્પિટલ તરફથી કમલેશ ઉદાણી,  હિતેન આનંદપુરા,  સુભાષ પટેલ,  દશરથ પટેલ, હોસ્પિલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલીવાલા, ટ્રસ્ટના જનરલ મૅનેજર ડો. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?