અંકલેશ્વરનો AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો, તંત્ર દ્વારા GIDCમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરાયો

અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રદુષણ

  • એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે

  • બે દિવસથી AQI 200ને પાર

  • તંત્ર આવ્યું હરકતમાં

  • પાણીનો છંટકાવ શરૂ કરાયો

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે.દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે.જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓથોરીટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે.નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિન્કલથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી સમયાંતરે વિભાગમાં સપડાતી રહે છે ત્યારે તંત્ર કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની અંકલેશ્વરનો AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. અંકલેશ્વનો એક્યુઆઈ બે દિવસથી 200ની ઉપર નોંધાઇ રહ્યો છે ત્યારે તંત્ર 

દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ સ્થિતિ તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રતની પુર્ણાહુતી, કુંવારીકાઓએ 5 દિવસ ઉપવાસ રાખી કરી આરાધના

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગૌરીવ્રત- જયા પાર્વતી વ્રતની પુર્ણાહુતી

  • શિવાલયોમાં જોવા મળી ભીડ

  • કુંવારીકાઓએ દેવાધિદેવ મહાદેવનું કર્યું પૂજન

  • મનગમતો ભરથાર મેળવવા કરવામાં આવે છે વ્રત

  • ગૌરી માંનુ કરાયુ પૂજન અર્ચન

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતની આજે પુર્ણાહુતી થઈ છે. ગૌરીએ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાંનું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે.આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજે ગૌરીવ્રતની પુર્ણાહુતી થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુવારીકાઓએ શિવજી અને ગૌરીમાંનુ પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને
આરાધનામાં લીન બન્યા હતા.