અંકલેશ્વરનો AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો, તંત્ર દ્વારા GIDCમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરાયો

અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રદુષણ

  • એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે

  • બે દિવસથી AQI 200ને પાર

  • તંત્ર આવ્યું હરકતમાં

  • પાણીનો છંટકાવ શરૂ કરાયો

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે.દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે.જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓથોરીટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે.નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિન્કલથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી સમયાંતરે વિભાગમાં સપડાતી રહે છે ત્યારે તંત્ર કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની અંકલેશ્વરનો AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. અંકલેશ્વનો એક્યુઆઈ બે દિવસથી 200ની ઉપર નોંધાઇ રહ્યો છે ત્યારે તંત્ર 

દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ સ્થિતિ તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.