ભરૂચ : એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક-ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા

New Update
  • એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • વાર્ષિક સાંસ્કૃતિક અને ઇનામ વિતરણના કાર્યક્રમ યોજાયો

  • એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • વિદ્યાર્થીઓને ઈનામ-પારિતોષિક એનાયત કરવામાં આવ્યા

  • કોલેજના આચાર્ય સહિત કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જુદી જુદી પ્રવૃતિમાં ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓને એડિશનલ કલેક્ટરના હસ્તે ઈનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. રિઝવાન શેખ આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પોતાના પ્રવચનમાં તેઓએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ નિહાળીને આનંદ વ્યક્ત કરવા સાથે કોલેજ પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

સંગીતના સુર થકી વિદ્યાર્થીઓએ ગીતો રજુ કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh