અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સપેકશન અને લોક દરબાર યોજાયો

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

એ ડિવિઝન પોલીસ મથક ખાતે યોજાયો કાર્યક્રમ

વાર્ષિક ઇન્સપેકશન યોજાયું

SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

લોક દરબારનું પણ આયોજન

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો  અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જે બાદ લોક દરબાર યોજાયો હતો.આ લોક દરબારમાં લોક પ્રતિનિધિ,આગેવાનો અને સોસાયટીના સ્થાનિકોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી ટ્રાફિકની સમસ્યા,ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવતા લોકોને અટકાવવા નહી,ચોરીની ખોટી અફવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરાઈ હતી.
પોલીસ વિભાગ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ અંગે ખાતરી આપી હતી.આ લોક દરબારમાં પી.આઈ.પી.જી ચાવડા અને પોલીસ અધિકારી,જવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.