ભરૂચ: સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ, શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ

પીડિતા પર  શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચનું વધુ એક ચકચારી બનાવ

  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ

  • અગાઉ ઇન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાઇ હતી

  • હવે શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ

  • એક જ પીડિતા સાથે બન્નેએ આચર્યું દુષ્કર્મ

ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં  વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્ય હતું
ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પર  શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રી યુનિયનની મીટીંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.
તારીખ 23 નવેમ્બર અને 9 ડિસબરમાં રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઇ ગયો છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સેન્ટ ઝેવીયર્સ શાળના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે.આજ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે