ભરૂચ: જંબુસરમાં ઢાઢર નદીનું જળસ્તર વધતા સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાય

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તર સતત વધી રહ્યા છે.ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે જંબુસરના મગણાદ ગામ ખાતેથી તંત્ર દ્વારા 248 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચી ગામના 248 જેટલા લોકોને રાહી કંપની ખાતે ખસેડ્યા હતા જ્યાં તેઓ માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ઢાઢર નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નદી તેની ભયજનક સપાટી વટાવે તો જંબુસરના ખાનપુર,મગણાદ, બોજાદરા, મહાપુરા, કુંઢળ,વહેલમ અને વાલચંદ નગર સહિતના વિસ્તારને અસર થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં આવ્યા છે                                                                                                                     

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.