અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યુમાં હજારો યુવાનો ઉમટતાં હોટલની રેલીંગ તૂટી

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકેસદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી.

મળતી માહિતી અનુસારઅંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયાGIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતીઅને હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી.

જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતાત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાય રહ્યો હતોત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કેકંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઓદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છેતે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતીનિધીઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

Read the Next Article

વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.