ભરૂચ : વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્યસામગ્રીનું વિતરણ, ભારત વિકાસ પરિષદ-વિપ્ર ફાઉન્ડેશનનું “સેવાકાર્ય”

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

New Update

વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં સેવાકાર્ય

ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાકાર્ય કરાયું

વિપ્ર ફાઉન્ડેશન સંસ્થા પણ સેવામાં જોડાય

પૂર અસરગ્રસ્ત લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ

300 પરિવારોને ખાદ્યસામગ્રી વિતરણ કરાય

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા પંથકના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાલીયા પંથકમાં વરસેલા 18 ઇંચ વરસાદના કારણે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું.

વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ખાદ્યસામગ્રી પલળી ગઈ હતીત્યારે રાષ્ટ્રીય વિચારધારા સાથે અસહાય લોકોની સહાય માટે તત્પર રહેતી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં 300 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને આ ખાદ્યસામગ્રીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ યોગેશ પારિક અને ભારત વિકાસ પરિષદના કે.આર.જોશીભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓજૂના ભાગા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.