ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત, 30 ટકા કેસ વધવાની શક્યતા

હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી

  • 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત

  • અકસ્માતના કેસમાં વધારો થવાની સંભાવના

  • 30 ટકા કેસ વધે એવી શક્યતા

  • 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે તૈનાત

Advertisment
હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવાર છે, ત્યારે ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવાશે. મળતી માહિતી મુજબ, ગત વર્ષના ડેટાના આધારે આ વર્ષે હોળી-ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા ઇમરજન્સી ટેલિફોન નંબર-108એ દર્શાવી છે. જેમાં 13 માર્ચે હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61 ટકાનો વધારો થશે. જ્યારે 14 માર્ચે ધૂળેટીના દિવસે 29.88 ઈમરજન્સી કેસોનો વધારો નોંધાવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસો નોંધાતા હોય છે .હોળીના દિવસે અનુમાનીત લગભગ 89 જેટલા કેસો એટલે કે 14.10 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે.જ્યારે ધુળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49 ટકા જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment