ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત, 30 ટકા કેસ વધવાની શક્યતા

હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી

  • 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત

  • અકસ્માતના કેસમાં વધારો થવાની સંભાવના

  • 30 ટકા કેસ વધે એવી શક્યતા

  • 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે તૈનાત

હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવાર છે, ત્યારે ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવાશે. મળતી માહિતી મુજબ, ગત વર્ષના ડેટાના આધારે આ વર્ષે હોળી-ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા ઇમરજન્સી ટેલિફોન નંબર-108એ દર્શાવી છે. જેમાં 13 માર્ચે હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61 ટકાનો વધારો થશે. જ્યારે 14 માર્ચે ધૂળેટીના દિવસે 29.88 ઈમરજન્સી કેસોનો વધારો નોંધાવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસો નોંધાતા હોય છે .હોળીના દિવસે અનુમાનીત લગભગ 89 જેટલા કેસો એટલે કે 14.10 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે.જ્યારે ધુળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49 ટકા જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે.
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.