ભરૂચ: જિલ્લામાં દિવાળી પર્વમાં માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા,108 ના 90 કર્મીઓની ખડેપગે સેવા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.

New Update

દિવાળી તહેવારમાંસતત ઈમરજન્સીના મળ્યા કોલ,90 કર્મચારીઓએખડેપગે નિભાવી સેવાની ફરજ, દિવાળીના તહેવારોમાં 437 જેટલા નોંધાયા કેસ, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી108 એમ્બ્યુલન્સ સેવામાં19 એમ્બ્યુલન્સના90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.જેમાં કુલ437 જેટલા કેસ નોંધાયા હતા.અને સૌથી વધુ માર્ગ અકસ્માત110 કેસોનાકોલ આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઇમરજન્સી108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડેપગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે90 જેટલા કેસો નોંધાતા હોય છે.જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ100 જેટલા કેસ એટલે કે11 ટકાજેટલો વધારો,નવા વર્ષના દિવસે105 જેટલા કેસ એટલે કે16 ટકાજેટલો વધારો તથા ભાઈબીજના દિવસે106 કેસ એટલે કે17 ટકાજેટલો કેસમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની19એમ્બ્યુલન્સ સાથે આશરે90કર્મચારીઓ24કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમાં જિલ્લામાં કુલ437કેસ નોંધાયા હતા.જેમાં31મી ઓક્ટોબર દિવાળીના દિવસે111, 1લી નવેમ્બરના રોજ106, 2જી નવેમ્બર નવા વર્ષના દિવસે117અને 3જી નવેમ્બર ભાઈબીજના દિવસે105કેસ નોંધાયા હતા.જેમાં મારામારીના19, માર્ગ અકસ્માતના110અને દાઝવાના07કેસો નોંધાયા હતા.અનેઅંદાજીત 90જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.