ભરૂચ: જિલ્લામાં દિવાળી પર્વમાં માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા,108 ના 90 કર્મીઓની ખડેપગે સેવા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.

New Update

દિવાળી તહેવારમાં સતત ઈમરજન્સીના મળ્યા કોલ, 90 કર્મચારીઓએ ખડેપગે નિભાવી સેવાની ફરજ, દિવાળીના તહેવારોમાં 437 જેટલા નોંધાયા કેસ, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા 

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.જેમાં કુલ 437 જેટલા કેસ નોંધાયા હતા.અને સૌથી વધુ માર્ગ અકસ્માત 110 કેસોના કોલ આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડેપગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે.જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસ એટલે કે 11 ટકા જેટલો વધારો,નવા વર્ષના દિવસે 105 જેટલા કેસ એટલે કે 16 ટકા જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે 106 કેસ એટલે કે 17 ટકા જેટલો કેસમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 90 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમાં જિલ્લામાં કુલ 437 કેસ નોંધાયા હતા.જેમાં 31મી ઓક્ટોબર દિવાળીના દિવસે 111, 1લી નવેમ્બરના રોજ 106, 2જી નવેમ્બર નવા વર્ષના દિવસે 117 અને 3જી નવેમ્બર ભાઈબીજના દિવસે 105 કેસ નોંધાયા હતા.જેમાં મારામારીના 19, માર્ગ અકસ્માતના 110 અને દાઝવાના 07 કેસો નોંધાયા હતા.અને અંદાજીત 90 જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Read the Next Article

ભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો

નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો....

New Update
  • ભરૂચ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસુ બેઠું

  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

  • સૌથી વધુ હાંસોટમાં 5.52 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા.જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.52 ઇંચ વરસાદ ખાબકયો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 2.28 ઇંચ,આમોદ 1.5 ઇંચ,વાગરા 3.52 ઇંચ,ભરૂચ 2.48 ઇંચ,ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 3.32 ઇંચ,હાંસોટ 5.52 ઇંચ,વાલિયા 1 ઇંચ,નેત્રંગમાં 12 મી.મી.વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાહ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.