ભરૂચ: જિલ્લામાં દિવાળી પર્વમાં માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા,108 ના 90 કર્મીઓની ખડેપગે સેવા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.

New Update

દિવાળી તહેવારમાં સતત ઈમરજન્સીના મળ્યા કોલ, 90 કર્મચારીઓએ ખડેપગે નિભાવી સેવાની ફરજ, દિવાળીના તહેવારોમાં 437 જેટલા નોંધાયા કેસ, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા 

Advertisment

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.જેમાં કુલ 437 જેટલા કેસ નોંધાયા હતા.અને સૌથી વધુ માર્ગ અકસ્માત 110 કેસોના કોલ આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડેપગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે.જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસ એટલે કે 11 ટકા જેટલો વધારો,નવા વર્ષના દિવસે 105 જેટલા કેસ એટલે કે 16 ટકા જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે 106 કેસ એટલે કે 17 ટકા જેટલો કેસમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 90 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમાં જિલ્લામાં કુલ 437 કેસ નોંધાયા હતા.જેમાં 31મી ઓક્ટોબર દિવાળીના દિવસે 111, 1લી નવેમ્બરના રોજ 106, 2જી નવેમ્બર નવા વર્ષના દિવસે 117 અને 3જી નવેમ્બર ભાઈબીજના દિવસે 105 કેસ નોંધાયા હતા.જેમાં મારામારીના 19, માર્ગ અકસ્માતના 110 અને દાઝવાના 07 કેસો નોંધાયા હતા.અને અંદાજીત 90 જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment