ભરૂચ: જિલ્લામાં દિવાળી પર્વમાં માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા,108 ના 90 કર્મીઓની ખડેપગે સેવા

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.

New Update

દિવાળી તહેવારમાં સતત ઈમરજન્સીના મળ્યા કોલ, 90 કર્મચારીઓએ ખડેપગે નિભાવી સેવાની ફરજ, દિવાળીના તહેવારોમાં 437 જેટલા નોંધાયા કેસ, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા 

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.જેમાં કુલ 437 જેટલા કેસ નોંધાયા હતા.અને સૌથી વધુ માર્ગ અકસ્માત 110 કેસોના કોલ આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડેપગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે.જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસ એટલે કે 11 ટકા જેટલો વધારો,નવા વર્ષના દિવસે 105 જેટલા કેસ એટલે કે 16 ટકા જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે 106 કેસ એટલે કે 17 ટકા જેટલો કેસમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 90 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમાં જિલ્લામાં કુલ 437 કેસ નોંધાયા હતા.જેમાં 31મી ઓક્ટોબર દિવાળીના દિવસે 111, 1લી નવેમ્બરના રોજ 106, 2જી નવેમ્બર નવા વર્ષના દિવસે 117 અને 3જી નવેમ્બર ભાઈબીજના દિવસે 105 કેસ નોંધાયા હતા.જેમાં મારામારીના 19, માર્ગ અકસ્માતના 110 અને દાઝવાના 07 કેસો નોંધાયા હતા.અને અંદાજીત 90 જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.