ભરૂચ : માઁ નર્મદાનાં કાંઠે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી,500 યોગસાધકોએ લીધો ભાગ

ભરૂચના ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક નર્મદા નદીના કિનારે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં 500થી વધુ યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.

New Update
  • નર્મદા પાર્કમાં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • નર્મદા નદીના કાંઠે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરાયું કાર્યક્રમનું આયોજન

  • 500થી વધુ યોગ સાધકોએ લીધો ઉત્સાહભેર ભાગ

  • સ્વસ્થ અને નિરોગી જીવન માટે પ્રોત્સાન અપાયું 

ભરૂચના ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક નર્મદા નદીના કિનારે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં 500થી વધુ યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.

ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મમુહૂર્તમાં સવારે 5:30 થી 8:30 દરમિયાન કોર્ડીનેટર ભાવિની ઠાકર,કોચ બીનીતાજી,ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઝોનલ કોર્ડીનેટર રાજેશ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટ ડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોર્ડીનેટર રિશીકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસીડેન્સ એડિશનલ કલેકટર એન. આર.ધાંધલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,બ્રહ્માકુમારીના અમિતાબેન GNFC એસ.એન.આર ક્લબના પ્રેસિડન્ટ પંકજ પુરોહિત રમતગમત કન્વીનર પ્રશાંત પટેલ હરિ પ્રબોધના મિલિંદ,નર્મદા પાર્કના સંચાલક માર્ટીન પટેલ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો,અને યોગીઓને પ્રેરણા આપી હતી.

 

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.