ભરૂચ : ઉત્તરાયણના પર્વમાં 182 ઈમરજન્સી કેસ નોંધાયા,108ની ટીમે ખડેપગે નિભાવી ફરજ

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.

New Update
  • ઉત્તરાયણના બે દિવસમાં ઈમરજન્સીના 182 કેસ નોંધાયા  

  • 108ના સ્ટાફે ખડેપગે ફરજ નિભાવી

  • મારામારી,અકસ્માત,દોરીથી ઇજા થવાના કેસ નોંધાયા

  • પેટમાં દુખાવો તેમજ પ્રસુતિના કેસમાં પણ વધારો

  • ધાબા પરથી પડી જવાના 10 કેસ નોંધાયા

Advertisment

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી બે દિવસના ઉત્તરાયણમાં 182 જેટલા ઇમરજન્સીના કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસ નોંધાતા હોય છે,પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના દિવસે 85 જેટલા કેસ નોંધાયા હતા,અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23 ટકાનો ઈમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો.

14 અને 15 જાન્યુઆરી 2025ના બે દિવસમાં મારામારીના સાત કેસ,રોડ અકસ્માતના 33 કેસધાબા પરથી પડી જવાના 10 કેસ તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસપ્રસુતિના 54 જેટલા કેસ પણ આ બે દિવસમાં નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો હતો.જેથી દરેક આવનારી ઈમરજન્સીને યોગ્ય સારવાર કરી શકાય. 

Advertisment
Read the Next Article

ભરૂચમાં “વિજકાપ” : 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં..!

ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી વિજકાપ રેહશે

New Update
power cut
ભરૂચ શહેરના 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે તા. 23 મેં-2025 શુક્રવારના રોજ વીજ ગ્રાહકોને 6 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા DGVCL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisment
આવતીકાલે તા. 23મી મેં-2025 શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી, મિલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ, પરમાર બુટ હાઉસ, શાસ્ત્રી માર્કેટ, 7-X, ડુમવાડ, સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તાર, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એદ્રુસ રોડ, નવાડેરા, લાલભાઇની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, વીજ નિગમ દ્વારા 6 કલાક બાદ કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Advertisment
Latest Stories