ભરૂચ : ઉત્તરાયણના પર્વમાં 182 ઈમરજન્સી કેસ નોંધાયા,108ની ટીમે ખડેપગે નિભાવી ફરજ

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.

New Update
  • ઉત્તરાયણના બે દિવસમાં ઈમરજન્સીના 182 કેસ નોંધાયા  

  • 108ના સ્ટાફે ખડેપગે ફરજ નિભાવી

  • મારામારી,અકસ્માત,દોરીથી ઇજા થવાના કેસ નોંધાયા

  • પેટમાં દુખાવો તેમજ પ્રસુતિના કેસમાં પણ વધારો

  • ધાબા પરથી પડી જવાના 10 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી બે દિવસના ઉત્તરાયણમાં 182 જેટલા ઇમરજન્સીના કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસ નોંધાતા હોય છે,પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના દિવસે 85 જેટલા કેસ નોંધાયા હતા,અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23 ટકાનો ઈમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો.

14 અને 15 જાન્યુઆરી 2025ના બે દિવસમાં મારામારીના સાત કેસ,રોડ અકસ્માતના 33 કેસધાબા પરથી પડી જવાના 10 કેસ તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસપ્રસુતિના 54 જેટલા કેસ પણ આ બે દિવસમાં નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાંઆવ્યો હતો.જેથી દરેક આવનારી ઈમરજન્સીને યોગ્ય સારવારકરી શકાય. 

Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.