ભરૂચ: 250 વર્ષથી ઉજવાતા મેઘ-છડી ઉત્સવનો પ્રારંભ, વરસતા વરસાદમાં શ્રદ્ધાનો સાગર

ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update

ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના પંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે.

આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. જોકે સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે મેળામાં લોકોની પાસે હાજરી જોવા મળી હતી. તો આ તરફ વરસાદના કારણે સ્ટોલધરકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.