ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર જેઓ ઘર માટેનો સામાન ખરીદવા બાઇક લઈને નીકળ્યા હતા, ત્યારે આમોદથી ઘરે પરત ફરતા માસીની આમલી પાસે વળાંક પર રોડ પાસે ભેંસનું ટોળું આવી જતા બાઇક ભેંસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, બાઇક ભેંસ સાથે અથડાતા તેઓ દૂર સુધી ફંગોળાઈ જતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હજાર તબીબ દ્વારા કમલેશ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.