ભરૂચ: આમોદ કબ્રસ્તાન નજીક 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત, વન વિભાગ તપાસ કરે એવી માંગ

પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજવાની અને ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે.

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • આમોદ કબ્રસ્તાન નજીક બની ઘટના

  • 4 કાગડાના રહસ્યમય રીતે મોત નિપજ્યા

  • ઝાડ પરથી કાગડા અચાનક જ નીચે પડ્યા

  • વન વિભાગ તપાસ કરે એવી માંગ

ભરૂચના આમોદના કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે

પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજવાની અને ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે.આમોદના કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હતા. આમોદના સ્થાનિક રહીશ ઈમરાનભાઈ કબ્રસ્તાનમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે ઝાડ પરથી ત્રણથી ચાર કાગડાની નીચે પડ્યા હતા. ઇમરાનભાઈએ તેના પર પાણી છાંટી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે કાચબાઓના મોત નિપજ્યા હતા ત્યારે આ મામલે વન વિભાગ કાગડાના મોત કયા કારણથી નીપજ્યા છે તે અંગે તપાસ કરે એવી માંગ કરવામાં આવી છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.