ભરૂચ: ધુળેટી પર્વ પર નદી-કેનાલમાં ડૂબી જવાના 5 બનાવ, ફાયર વિભાગ દોડતું રહ્યું

ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.

New Update
ભરૂચમાં ધુળેટીના પર્વ પર દુર્ઘટના
Advertisment
ડૂબી જવાના 5 અલગ અલગ બનાવ
ભરૂચ જંબુસરમાં બન્યા બનાવ
નર્મદા નદી અને તળાવમાં ડૂબી ગયેલ યુવાનો ડૂબ્યા
ફાયર વિભાગ દોડતું રહ્યું
ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.
Advertisment

ભરૂચમાં ધુળેટીના પર્વ પર દુર્ઘટનાઓની વણઝાર જોવા મળી હતી.રંગોના પર્વ ધુળેટી પર એક મેકને રંગ લગાવ્યા બાદ અનેક યુવાનો નદી, કેનાલ અને તળાવમાં નાહવા જતા હોય છે ત્યારે તળાવ અને નદીમાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટના બની હતી જેમાં પ્રથમ ઘટનામાં નંદેલાવ નજીક તળાવમાં નાહવા અને માછીમારી કરવા ગયેલા ત્રણ બાળકો ડૂબ્યા હતા.આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં એક બાળકને બચાવી લેવાયો હતો જ્યારે બે બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી.આ તરફ નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે ધુળેટી રમ્યા બાદ મોટી સંખ્યામાં લોકો નદીમાં નાહવા ઉમટયા હતા ત્યારે મહકતમપુર વિસ્તારમાં રહેતો એક યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ તરફ જંબુસરમાં પણ તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી. જંબુસરમાં તળાવમાં નાહવા ગયેલ એક યુવાન ડૂબી જતા તે લાપતા બન્યો હતો જેની ફાયર ફાયટર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ તરફ કેલોદ ખાતે નર્મદા નદીમાં પણ ડૂબી જવાનો બનાવ બન્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

New Update
bharuch Cyclone Meeting
અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
Advertisment
આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુલી જોડાયા હતા.
Advertisment