ભરૂચ:મનરેગા કૌભાંડમાં સંડોવાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત 6 આરોપીઓ સબજેલ ભેગા, કોર્ટે કર્યો હુકમ

ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • 6 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ

  • પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરી રજૂ કર્યા

  • કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા કર્યો હુકમ

  • કોંગ્રેસ નેતા સહિત તેના પુત્રની થઇ છે ધરપકડ

ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો
ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓનો કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.