ભરૂચ: અનઇવન ટોપોગ્રાફી ધરાવતા શહેરમાં 70 ઇમારતો જર્જરીત, નબળું બાંધકામ ઉતારી લેવા માલિકોને તંત્રની નોટીસ

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ

  • વરસાદી કાંસની સફાઈ કરાય

  • વૃક્ષની પણ છટણી કરવામાં આવશે

  • 70 ઇમારતો જર્જરીત હોવાનું બહાર આવ્યું

  • ઇમારતોના માલિકને તંત્રએ પાઠવી નોટીસ

અન ઇવન ટોપોગ્રાફી ધરાવતા ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો ધરાશાય થવાના બનાવ ન બને અને મોટી દુર્ઘટના ન સર્જાઈ તે માટે નગર સેવા સદન દ્વારા 70 થી વધુ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે
ભરૂચ નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસા માટે પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ પર ઊગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ થવાની છે જેથી વાહનવ્યવહાર પર કોઈ અડચણ ન ઊભી થાય.આ ઉપરાંત શહેરભરમાં 70થી વધુ જર્જરિત ઈમારતોની ઓળખ કરવામાં આવી છે.પાલિકા દ્વારા આ તમામ ઈમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઈમારતો ખાલી કરવા અને જરૂર જણાય તો તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે.
Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા

New Update
scsscs

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.

દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે  નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ  અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.