ભરૂચ: શુકલતીર્થ નજીક ખેતરમાં 8 ફૂટ લાંબો અજગર નજરે પડ્યો, જીવદયા પ્રેમીઓએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.

New Update
phython

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતાં જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
Latest Stories