New Update
-
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર
-
સામાન્ય પ્રવાહનું 93.33 ટકા પરિણામ
-
વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરિણામ
-
સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ
-
કહી ખુશી કહી ગમનો માહોલ
ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરિણામ જાહેર થયું છે.પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે.ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33 રહી છે. એ-1 ગ્રેડમાં પણ 50 વિધાર્થીઓનો વિક્રમ તો એ-2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે.કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54 ટકા સૌથી ઓછું વાલિયા 88 89 ટકા રહ્યું છે.
અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, ઝાડેશ્વર 90.10, જંબુસર 89.29, હાંસોટ 94.02, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22 ટકા વધુ આવ્યું છે.ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66 ટકા વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.09 ટકા રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.43 ટકાનો ઘટાડો થયો છે.ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2660 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2119 પાસ અને 545 નાપાસ થયા છે. એ-1 ગ્રેડમાં આ વખતે 11, એ-2 માં 169 છાત્રોએ મેદાન માર્યું છે.ચાર કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ ઝાડેશ્વર કેન્દ્રનું 84.44 ટકા, ભરૂચનું 83.45, અંકલેશ્વરનું 76.03 અને સૌથી ઓછું જબુસરનું 75.33 ટકા પરિણામ જાહેર થયું છે.
ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે શુભકામના પાઠવી હતી.
Latest Stories