ભરૂચ : શક્તિનાથ સર્કલ નજીક 10 ફૂટ ઊંડા અને 7 ફૂટ પહોળા ભુવાનું પાલિકા તંત્રએ પુરાણ કર્યું...

10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવાનું ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

New Update
Bharuch Shaktinath Circle

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ નજીક પડેલા 10 ફૂટ ઊંડા અને 7 ફૂટ પહોળા ભુવાના પુરાણની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત મંગળવારના રોજ રૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાવા સાથે વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ નજીક વીજ પોલ નમી પડ્યા બાદ વીજકર્મીઓ દ્વારા બિસ્માર વીજપોલનું સમારકામ કરવામાં આવ્યું હતું.

જે બાદ આજ જગ્યા પર વીજપોલ નીચે 10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભુવો પડ્યો હતો, ત્યારે આ જોખમી ભુવાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતાં ગતરોજ મોડી રાત્રે ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories