ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયુ, સંચાલક સહિત 3 યુવતીની ધરપકડ

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી હતી.

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું

  • પોલીસને સ્પા અંગે મળી હતી 11 અરજી

  • ડમી ગ્રાહક સાથે પોલીસે પાડ્યા દરોડા

  • સંચાલક સહિત 3 યુવતીની ધરપકડ

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૧ અરજી આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો જેમાં સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઇ આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી રોકડા રૂ.૮૫૭૦ અને મોબાઈલ મળી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશીપ્ત અરુણ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.