ભરૂચ: MLA ચૈતર વસાવા સહિત 13 લોકો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ, મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • ચૈતર વસાવા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • અન્ય 13 લોકોના સામે પણ ગુનો દાખલ

  • રાજપારડીમાં મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

  • રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાયો

  • પી.આઈ.જાતે જ બન્યા ફરિયાદી

Advertisment
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરીમાં આપવામાં આવી ન હતી તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલામાં રાજપારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવી છે ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પદયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને અડચણ ઊભી થઈ ન હતી માટે કિન્નખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની મંજૂરી વચ્ચે વધુ એક યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ !

નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી...

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • સામાજિક આગેવાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

  • આજે વધુ એક યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી

  • જાળીની કામગીરી વહેલી શરૂ કરવા માંગ

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જે બદલ સામાજિક આગેવાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.
ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
આ બદલ સામાજિક આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી ત્યારે બ્રિજની બન્ને તરફ જાળી વહેલી તકે લગાવવામાં આવે એ અત્યંત જરૂરી છે..
Advertisment