ભરૂચ: MLA ચૈતર વસાવા સહિત 13 લોકો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ, મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • ચૈતર વસાવા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • અન્ય 13 લોકોના સામે પણ ગુનો દાખલ

  • રાજપારડીમાં મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

  • રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાયો

  • પી.આઈ.જાતે જ બન્યા ફરિયાદી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરીમાં આપવામાં આવી ન હતી તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલામાં રાજપારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવી છે ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પદયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને અડચણ ઊભી થઈ ન હતી માટે કિન્નખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.