ભરૂચ: MLA ચૈતર વસાવા સહિત 13 લોકો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ, મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • ચૈતર વસાવા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • અન્ય 13 લોકોના સામે પણ ગુનો દાખલ

  • રાજપારડીમાં મંજૂરી વગર કાઢી હતી પદયાત્રા

  • રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાયો

  • પી.આઈ.જાતે જ બન્યા ફરિયાદી

Advertisment W3.CSS
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરીમાં આપવામાં આવી ન હતી તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલામાં રાજપારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવી છે ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પદયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને અડચણ ઊભી થઈ ન હતી માટે કિન્નખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.