ભરૂચ : આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની 125મી પુણ્યતિથિ, રાજપારડી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી “બિરસા મુંડા અમર રહો”ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

New Update
  • આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ

  • ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ ખાતે કરાયું આયોજન

  • આદિવાસી સમાજના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી

  • આગેવાનોએબિરસા મુંડા અમર રહોના નારા લગાવ્યા

  • બિરસા મુંડાના વિચારોને ફેલાવવાનો આગેવાનોમાં સંકલ્પ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરીબિરસા મુંડા અમર રહોના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ તેમના વિચારો વ્યક્ત કરતા આદિવાસી એકતા અને હક્ક માટે સતત જાગૃત રહેવા સંદેશો આપ્યો હતો. કાર્યક્રમના અંતે બિરસા મુંડાના વિચારોથી પ્રેરાઈ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગી આગેવાન ધનરાજ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી,લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.

New Update
  • આજે રક્ષાબંધનનું પાવન પર્વ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • સબજેલ ખાતે પણ ઉજવણી કરાય

  • કેદીભાઈઓને રાખડી બાંધવામાં આવી

  • લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી, રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી, તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.