New Update
ભરૂચમાં શરૂ થયું સેન્ટર
ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરાયુ
સ્ટેશન વિસ્તારમાં કરાયો પ્રારંભ
શંકર ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય
વિના મૂલ્યે ભોજન પીરસારે
ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ભુખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે.આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવ્યુ છે.ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિના મૂલ્યે ભુખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જ્યાં વિના મૂલ્યે ભુખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઇ રહ્યા છે.આ પ્રસંગે શંકર પટેલએ જણાવ્યું હતું કે તેઓના 46માં જન્મ દિન નિમિત્તે આજે ભુખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે મહિનામાં બે દિવસ ચાલુ રાખ્યા બાદ રોજેરોજ ચાલુ રાખવા પ્રયાસ કરવામાં આવશે.સાથે તેઓએ કોઈનો પણ જન્મ દિવસ,પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોઈ તો તેઓ ભૂખ્યા ભોજન સેન્ટર થકી પ્રસાદી આપી શકશે એવી અપીલ કરી હતી
Latest Stories