ભરૂચ: ટ્રાફિકજામમાં ફસાતા યુવતી 10 મિનિટ માટે ફલાઇટ ચુકી ગઈ, પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ !

અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી

New Update
  • પ્લેન ક્રેશમાં ભરૂચની યુવતીનો આબાદ બચાવ

  • 10 મિનિટ માટે ફલાઇટ ચુકી ગઈ

  • ટ્રાફિકજામમાં ફસાતા એરપોર્ટ પહોંચતા મોડુ થયું

  • પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ ધ્રુજારી છૂટી ગઈ

  • ભગવાનનો આભાર માન્યો

અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુખદ ઘટના બની હતી
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો.ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ૧૦ મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભરૂચની મેઘદૂત ટાઉનશિપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 
2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફલાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12: 20 મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.
જોકે 12:10એ એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઈટ મીસ કરવાનો વારો આવ્યો હતો.આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. માત્ર 10 મિનિટ માટે મોતને હાથતાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે એવી માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..