ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રખડતા ઢોરના ટોળાએ મોપેડ ચાલકને લીધો અડફેટે, ગંભીર ઇજાના પગલે સારવાર હેઠળ

એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

New Update

ભરૂચમાં રખડતા ઢોરનો આતંક

ઝાડેશ્વર રોડ પર સર્જાયો અકસ્માત

રખડતા ઢોરના ટોળાએ મોપેડ ચાલકને લીધો અડફેટે

ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડાયો

તંત્ર યોગ્ય કામગીરી કરે એ જરૂરી

ભરૂચમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ઝાડેશ્વર રોડ પર મોપેડ ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે આજરોજ આવો જ બનાવ ફરી એકવાર સામે આવ્યો હતો.
ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લીધા હતા.જેના પગલે તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે આ અભિયાન થોડા દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે આ પ્રકારના અકસ્માતો સર્જાય રહ્યા છે.. 
Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા