ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રખડતા ઢોરના ટોળાએ મોપેડ ચાલકને લીધો અડફેટે, ગંભીર ઇજાના પગલે સારવાર હેઠળ

એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

New Update

ભરૂચમાં રખડતા ઢોરનો આતંક

ઝાડેશ્વર રોડ પર સર્જાયો અકસ્માત

રખડતા ઢોરના ટોળાએ મોપેડ ચાલકને લીધો અડફેટે

ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડાયો

તંત્ર યોગ્ય કામગીરી કરે એ જરૂરી

ભરૂચમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ઝાડેશ્વર રોડ પર મોપેડ ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે આજરોજ આવો જ બનાવ ફરી એકવાર સામે આવ્યો હતો.
ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લીધા હતા.જેના પગલે તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે આ અભિયાન થોડા દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે આ પ્રકારના અકસ્માતો સર્જાય રહ્યા છે.. 
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.