ભરૂચ : તાંત્રિક વિધિ બાબતે નિકોરા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી...

નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

New Update
  • નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી

  • તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં થઈ હત્યા

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું

  • મૃતકના પરિવારનો સગાવાળાઓ પર ગંભીર આક્ષેપ

  • નબીપુર પોલીસેફરિયાદ નોંધી વધુ તપાસ આદરી

ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છેજ્યાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ તાલુકાના નિકોરા ગામમાં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતીત્યારે પાડોશી સગાવાળાઓને શંકા જતાં ઘરમાં ઘુસીને ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન ઇશ્વર ભઈજી માછી પટેલ નામના વ્યક્તિને ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું.

મૃતકના પુત્ર કનું ઈશ્વર ભયજી માછી પટેલએ જણાવ્યુ હતું કેકાકા-મોટાના પરિવારના સભ્યોએ જ ઇશ્વર ભઈજીની હત્યા કરી છે. બનાવના પગલે નબીપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હત્યા બાદ સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી જવા સાથે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

હાલ પોલીસે તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. વધુમાં પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કેલોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએનહિંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે.

Read the Next Article

ભરૂચ: સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી,લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.

New Update
  • આજે રક્ષાબંધનનું પાવન પર્વ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • સબજેલ ખાતે પણ ઉજવણી કરાય

  • કેદીભાઈઓને રાખડી બાંધવામાં આવી

  • લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી, રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી, તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.