ભરૂચ: હત્યાના ગુનામાં સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરાયો !

ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
  • ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો કેદી

  • કેદીએ 14 વર્ષ જેલની સજા ભોગવી

  • જેલ પ્રસાસન દ્વારા સારી વર્તણુક ધ્યાને લેવાય

  • સરકારે વહેલી જેલમુક્તિની દરખાસ્ત કરી મંજુર

  • આજરોજ કેદીને જેલમાંથી કરાયો મુક્ત

ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા

ભરૂચ સબજેલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકાકામના કેદી વિજય વસાવાએ 14 વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી.ગુનો આચાર્યો એ સમયે તેની ઉંમર 20 વર્ષની હતી.સજા દરમ્યાન જેલમાં તેની વર્તણુક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન પરિવારજનો તેને લેવા આવતા જેલ બહાર લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી.રાઠોડે કેદીને ગુનાહીત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામના પાઠવી હતી
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું

New Update
  • ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે આયોજન

  • વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન

  • લોક દરબાર પણ યોજાયો

  • SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું હતું.અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.
આ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ. પી.કે.રાઠોડ,ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ. એન.આર.ચૌધરી,રાજપારડી પોલીસ મથકના પી.આઈ. એચ.બી.ગોહિલ  તેમજ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ.  કે.એમ.વાઘેલા  સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories