ભરૂચ: હત્યાના ગુનામાં સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરાયો !

ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
  • ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો કેદી

  • કેદીએ 14 વર્ષ જેલની સજા ભોગવી

  • જેલ પ્રસાસન દ્વારા સારી વર્તણુક ધ્યાને લેવાય

  • સરકારે વહેલી જેલમુક્તિની દરખાસ્ત કરી મંજુર

  • આજરોજ કેદીને જેલમાંથી કરાયો મુક્ત

ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા

ભરૂચ સબજેલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકાકામના કેદી વિજય વસાવાએ 14 વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી.ગુનો આચાર્યો એ સમયે તેની ઉંમર 20 વર્ષની હતી.સજા દરમ્યાન જેલમાં તેની વર્તણુક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન પરિવારજનો તેને લેવા આવતા જેલ બહાર લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી.રાઠોડે કેદીને ગુનાહીત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામના પાઠવી હતી
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.