ભરૂચ : સ્ટેશન રોડ પર આંબેડકર શોપિંગ સેન્ટર પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી

ભરૂચ શહેરના સ્ટેશન રોડને અડીને આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશાયી થઇ ગયું હતુ.ઓચિંતા જ સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ

New Update
ભરૂચમાં ઘટાદાર વૃક્ષ થયું ધરાશાયી 
આંબેડકર શોપિંગ નજીક બની ઘટના 
મુખ્ય માર્ગ પર ઝાડ ભોંયભેગુ થતા રસ્તો થયો બંધ 
વૃક્ષ નીચે એક કાર દબાતા નુકસાન 
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કરાઈ કામગીરી 

ભરૂચ શહેરના સ્ટેશન રોડને અડીને આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશાયી થઇ ગયું હતુ.ઓચિંતા જ સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.જ્યારે વૃક્ષ નીચે એક કાર દબાઈ જતનુકસાન થવા પામ્યું હતું.ભોંયભેગા થયેલા વૃક્ષના કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો,અને ઘટના અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી,અને જમીનદોસ્ત થયેલા વૃક્ષને સલામત રીતે હટાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.   
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.