ભરૂચ: રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ ઉજવાયો

સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં પતંગોત્સવનું આયોજન

  • સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ

  • રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે પતંગોત્સવનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • શાળાના બાળકોએ પતંગ ચગાવ્યા

Advertisment
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગતોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેહદાન,ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એવા પરિવારો દ્વારા થયેલા સેવાકાર્યને બિરદાવવાનો આ કાર્યક્રમ યોજાયો હતો.
પતંગોત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકતા ધનજી પરમાર,સંસ્થા સંજય તલાટી સહિતના સંસ્થા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી.
Read the Next Article

ભરૂચ: વાલિયાના કનેરાવ ગામની સીમમમાં સોલાર પ્લાન્ટમાંથી રૂ.10 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો

New Update
Screenshot_2025-08-16-18-16-46-98_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેકસટાઇલ્સ સોલાર પ્લાન્ટ આવેલ છે.જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકયા હતા.અને ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે નજીકમાં જ આવેલ કોનીકા ઇન્ટિમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.