ભરૂચ: રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ ઉજવાયો

સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં પતંગોત્સવનું આયોજન

  • સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ

  • રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે પતંગોત્સવનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • શાળાના બાળકોએ પતંગ ચગાવ્યા

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગતોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેહદાન,ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એવા પરિવારો દ્વારા થયેલા સેવાકાર્યને બિરદાવવાનો આ કાર્યક્રમ યોજાયો હતો.
પતંગોત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકતા ધનજી પરમાર,સંસ્થા સંજય તલાટી સહિતના સંસ્થા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.