ભરૂચ: રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં અનોખો "સેવાયજ્ઞ"

રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોઈએ આ વિશેષ અહેવાલ

New Update
  • નર્મદા પરિક્રમાનું રહેલું છે અનેરું મહત્વ

  • સેંકડો યાત્રિકો કરે છે નર્મદા પરિક્રમા

  • નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં મંગલેશ્વર ગામે અનોખો સેવાયજ્ઞ

  • જોશી પરિવાર 100 વર્ષથી કરે છે પરિક્રમાવાસીઓની સેવા 

  • કોઈ પણ દાન વગર નિ:સ્વાર્થ ભાવે સેવા

રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોઈએ આ વિશેષ અહેવાલ
કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.1312 કી.મી.ની નર્મદા પરિક્રમામાં સેંકડો પરીક્રમાવાસીઓ જોડાય છે ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓની સેવાનું પણ આગવું મહત્વ રહેલું છે.રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોશી પરિવારની પાંચમી પેઢી નર્મદા પરિક્રમાવાસીઓની દિવસ રાત સેવા કરી રહી છે.જોશી પરિવારની 2 શિક્ષિત બહેનો કમળાબહેન જોશી અને જ્યોતિબહેન નર્મદા પરિક્રમવાસીઓ માટે સાક્ષાત જાણે અન્નપૂર્ણાં છે.દૂર દૂરથી ચાલતા આવતા નર્મદા પરિક્રમા વાસીઓના રહેવા-જમવા અને ચા નાસ્તાની સગવડ આ પરિવાર દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. 
આ અંગે કમળાબહેન અને જ્યોતિબહેને કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરવાનું વરદાન પરંપરામાં મળ્યું છે. તેઓ કોઈપણ જાતના લક્ષ્યની પ્રાપ્તિ વગર માત્ર આત્મસંતોષ માટે પરિક્રમા વાસીઓની સેવા કરે છે આ માટે તેઓ દ્વારા કોઈપણ વ્યક્તિ પાસે દાન પણ લેવામાં આવતુ નથી
જોષી પરિવારમાં 78 વર્ષીય કમળાબહેન જોશી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવા માટે પ્રેરણા સ્ત્રોત છે. પરિક્રમાવાસીઓની સેવા કરવા માટે ચારેય માસી-ભાણેજે  લગ્ન કર્યા નથી. પરિવારના ખેતરમાં ખેતી કરી સેવાની આ જ્યોત અખંડ રાખવામાં આવી છે.જ્યોતિબહેન નિવૃત્ત આચાર્ય છે તેઓ અને તેમનો પરિવાર મળી નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરે છે. દિવસ કે રાતનો કોઈપણ સમય જોયા વગર તેઓ નર્મદા પરિક્રમા વાસીઓને ભોજન કરાવે છે. નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ સરેરાશ રોજના 350 થી વધુ પરિક્રમા વાસીઓ માટે ભોજન તૈયાર કરે છે. જોષી પરિવાર કોઈપણ જાતના દાન પર નિર્ભર રહ્યા વગર માત્ર નર્મદા પરિક્રમા વાસીઓના મળતા આશીર્વાદથી  છેલ્લા 100 વર્ષથી સેવાની ધૂણી ધખાવી રહ્યું છે આથી જ કહેવાય છે "નર્મદે સર્વદે" કે જે કશું પણ માંગ્યા વિના બધું જ આપી દે છે....
Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.