ભરૂચ : પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના 400થી વધુ ભાઈ-બહેનો માટે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન...

રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે આયોજન કરાયું

  • પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ હારમની હોલ ખાતે શિબિર યોજાય

  • ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન

  • પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના 400થી વધુ ભાઈ-બહેનોની હાજરી

  • વિશ્વમાં શાંતિનો પ્રકાશ ફેલાય તે યોગ સાધના ભઠ્ઠીનો ઉદ્દેશ્ય

રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 15 મેથી 18 મે સુધી રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા ભરૂચના ભાઈ-બહેનો માટે ત્રિ-દિવસય યોગ સાધના ભઠ્ઠીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સરોવરના ડિરેક્ટર સુદેશ દીદીભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીમંજુ દીદીના હસ્તે દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતોજ્યાં આધ્યાત્મિકસ્વઉન્નતીસ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય તેવો યોગ સાધના ભઠ્ઠીનો ઉદ્દેશ્ય રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.