-
માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે આયોજન કરાયું
-
પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ હારમની હોલ ખાતે શિબિર યોજાય
-
ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન
-
પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના 400થી વધુ ભાઈ-બહેનોની હાજરી
-
વિશ્વમાં શાંતિનો પ્રકાશ ફેલાય તે યોગ સાધના ભઠ્ઠીનો ઉદ્દેશ્ય
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 15 મેથી 18 મે સુધી રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા ભરૂચના ભાઈ-બહેનો માટે ત્રિ-દિવસય યોગ સાધના ભઠ્ઠીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સરોવરના ડિરેક્ટર સુદેશ દીદી, ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, મંજુ દીદીના હસ્તે દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો, જ્યાં આધ્યાત્મિક, સ્વઉન્નતી, સ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય તેવો યોગ સાધના ભઠ્ઠીનો ઉદ્દેશ્ય રહ્યો છે.