ભરૂચ: મહિલા સુરક્ષાના મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે, આમ આદમી પાર્ટીએ કરી માંગ

રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update

ભરૂચ આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

મહિલા સુકક્ષા મુદ્દે પ્રદર્શન કરાયુ

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે એવી માંગ

દબાણ હટાવો ઝુંબેશ અંગે પણ કરાય રજુઆત

રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહીલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં ૧૬ વર્ષની બાળકી સાથે સામુહીક બળાત્કાર અને ભરૂચ માં 10 મહિના ની બાળકી નો બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહીલા સુરક્ષાની ચિંતા વધારી દિધી છે ત્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી છે. સાથે જ નગર સેવા સદન દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કરી આપવા માંગ કરવામાં આવી હતી

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.