ભરૂચ: મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા AAPની માંગ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં  મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જીલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ આપ દ્વારા યોજાયું પ્રદર્શન

  • મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા માંગ

  • મનરેગા કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ

  • અન્ય જિલ્લાઓમાં પણ તપાસની માંગ

  • આપના આગેવાનો-કાર્યકરો જોડાયા

મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં  મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જીલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બીલો રજુ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે, આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠા છે આથી મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે એવી માંગ કરાય છે
#Bharuch #CGNews #AAP #Collector #Minister Bachu Khabar #Bachu Khabad
Latest Stories
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ...

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.