-
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
-
ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચનાની માંગ
-
કમિટીના રિપોર્ટ આધારે વળતર ચૂકવવા માંગ
-
ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ
ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવરગ્રિડ તરફથી ટ્રાન્સમીશન લાઇન પેકેજ અમદાવાદ-નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ
ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકશાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજુ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સુચના મળી છે ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.