ભરૂચ: ખેડૂત અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર,ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરવાની માંગ

ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું

  • ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચનાની માંગ

  • કમિટીના રિપોર્ટ આધારે વળતર ચૂકવવા માંગ

  • ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ

ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર  ખેડૂતોની જમીનમાંથી પાવરગ્રિડ તરફથી ટ્રાન્સમીશન લાઇન પેકેજ  અમદાવાદ-નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ 
ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકશાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજુ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સુચના મળી છે ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલનો પ્રારંભ

  • સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો થયો પ્રારંભ

  • મહંત ગંગદાસ બાપુના હસ્તે કરાયો પ્રારંભ

  • નેત્રરોગના દર્દીઓને મળશે આધુનિક સારવાર

  • પાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લોકો સુરત,વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોતિયો માટે પણ લેસરથી ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પાલિકાના હોદ્દેદારો,સભ્યો તેમજ ડો.સતીષ ગુપ્તા,ડો.નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર સુવિધાઓથી સજ્જ  હોસ્પિટલ બનાવ્યું છે,અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.