ભરૂચ: ખેડૂત અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર,ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરવાની માંગ

ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું

  • ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચનાની માંગ

  • કમિટીના રિપોર્ટ આધારે વળતર ચૂકવવા માંગ

  • ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર  ખેડૂતોની જમીનમાંથી પાવરગ્રિડ તરફથી ટ્રાન્સમીશન લાઇન પેકેજ  અમદાવાદ-નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ 
ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકશાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજુ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સુચના મળી છે ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment