ભરૂચ : વાગરા GIDCમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહી શંકાસ્પદ,ખેડૂતના આક્ષેપ

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

New Update
  • GIDCમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ખેડૂત અગ્રણીએ કરી ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત

  • GIDCએ સહી વીનાનો પત્ર પાઠવતા શંકા

  • ખેડૂત અગ્રણીએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  • પ્રેસવાર્તામાં આપી માહિતી  

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયત GIDCમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે.અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે. જેટલી હરાજી ઉંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં આવકનો વધારો થાય છે.પરંતુ GIDCના એમ.ડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લ્હાણી કરી હોવાના આક્ષેપ અજીતસિંહ રાજે કર્યા છે.જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે કર્યા હતા.

વાગરા તાલુકાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ગાંધીનગર GIDC વડી કચેરીએ PMને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી.કચેરીએ અરજદારને સહી વીનાનો પત્ર પાઠવ્યો હતો,અને જરૂરી આધાર પુરાવા સાથે વડી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

જોકે GIDCના તઘલખી અને સહી વીનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વાગરા ખાતે એક પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યુ હતુ કે જે વિભાગના એમ.ડી. રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશેઆ તો દુધનું રખોપુ બિલાડીને આપવા બરાબર છે.જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કેમ તેની ખબર કઈ રીતે પડશે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.