ભરૂચ : વાગરા GIDCમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહી શંકાસ્પદ,ખેડૂતના આક્ષેપ

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

New Update
  • GIDCમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ખેડૂત અગ્રણીએ કરી ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત

  • GIDCએ સહી વીનાનો પત્ર પાઠવતા શંકા

  • ખેડૂત અગ્રણીએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  • પ્રેસવાર્તામાં આપી માહિતી  

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતGIDCમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે.અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે. જેટલી હરાજી ઉંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં આવકનો વધારો થાય છે.પરંતુGIDCના એમ.ડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લ્હાણી કરી હોવાના આક્ષેપ અજીતસિંહ રાજે કર્યા છે.જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે કર્યા હતા.

વાગરા તાલુકાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ગાંધીનગરGIDC વડી કચેરીએPMને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી.કચેરીએ અરજદારને સહી વીનાનો પત્ર પાઠવ્યો હતો,અને જરૂરી આધાર પુરાવા સાથે વડી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

જોકેGIDCના તઘલખી અને સહી વીનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વાગરા ખાતે એક પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યુ હતુ કે જે વિભાગના એમ.ડી. રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશેઆ તો દુધનું રખોપુ બિલાડીને આપવા બરાબર છે.જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કેમ તેની ખબર કઈ રીતે પડશે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.