ભરૂચ: આધારકાર્ડ બાદ હવે વિદ્યાર્થીઓના બનશે "અપાર કાર્ડ",જુઓ શું છે લાભ

ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

New Update
  • કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી

  • નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ

  • વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ સંગ્રહિત કરાશે

  • જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે કરી અપીલ

  • વિદ્યાર્થીઓને અપાર કાર્ડ કઢાવવા કરી અપીલ

ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે.વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્‌ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.