ભરૂચ: આધારકાર્ડ બાદ હવે વિદ્યાર્થીઓના બનશે "અપાર કાર્ડ",જુઓ શું છે લાભ

ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

New Update
  • કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી

  • નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ

  • વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ સંગ્રહિત કરાશે

  • જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે કરી અપીલ

  • વિદ્યાર્થીઓને અપાર કાર્ડ કઢાવવા કરી અપીલ

ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે.વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્‌ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.