ભરૂચ: જંબુસરના દહેગામે વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે 

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • દહેગામના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ

  • જવાબદારો સામે પગલા ભરવાની માંગ

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે 
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દહેગામ ગામમા આવેલ વકફ ટ્રસ્ટની મસ્જીદમાં ગેરરીતિ થયેલી છે.તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્રારા બે વખત જુદી-જુદી તારીખો એ સુનાવણી રાખીને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટીસ આપી હતી તેમજ છતાં ટ્રસ્ટીઓએ નોટીસ મુજબના પુરાવા રજૂ કર્યા ન હતા.આ બાદ વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ પહોંચ્યા હતા પરંતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતા તપાસ થઈ ન હતી ત્યારે ફરીથી તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને ગેરરીતિ કરનાર તત્વો સામે પગલા ભરવાની માંગ કરાય છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.