ભરૂચ: જંબુસરમાં ભીષણ ગરમી વચ્ચે ફ્રીજ કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ, મકાનમાં આગ ફાટી નિકળી !

જંબુસરમાં મકાનમાં ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ.....

New Update
  • ભરૂચના જંબુસરમાં આગનો બનાવ

  • ભીષણ ગરમી વચ્ચે ફ્રીજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ

  • બ્લાસ્ટ બાદ મકાનમાં આગ ફાટી નિકળી

  • આગમાં ઘર વખરી બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના જંબુસરમાં ભીષણ ગરમી વચ્ચે મકાનમાં રહેલ ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના જંબુસર શહેરના ભાગલીવાડ વિસ્તારમાં આવેલી કલ્પેશરાવ સોમાજીરાજ જાદવના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકા નું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી આગની ઘટનાના પગલે આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.